અનામિકાને પત્ર: 9 Anamika: 9
December 23, 2006
.
પ્રિય અનામિકા,
તમારો અચાનક ફોન આવતાં આશ્ચર્ય જરૂર થયું હતું. અમરે “લગે રહો મુન્નાભાઈ”ની વાત કરી તો આનંદ થયો.
તમે તમારા ભારતીય મિત્રો સાથે “લગે રહો મુન્નાભાઈ” માણી. સૌએ જોવી જોઈએ. મહાત્મા ગાંધીના વિચારો પર આધારિત આ ફિલ્મ બધાને સ્પર્શવી જ જોઈએ.
ગાંધીજીના આદર્શો રમૂજ સાથે વ્યક્ત કરવામાં વિધૂ વિનોદ ચોપરા તથા હીરાણી સફળ થયા છે. સ્ક્રીપ્ટ અને ડાયલોગ સામાન્ય પ્રેક્ષકને ગળે ઊતરે તેવા. તારી ચકોર આંખોએ અભિજાત જોશીનું નામ પકડી પાડ્યું તે સરસ! અભિજાત જોશી જેવા આપણા ગુજરાતી મિત્રોના સિનેમા ક્ષેત્રે પ્રદાન માટે આપણને જરૂર ગર્વ થાય!
તું તારા દેશી-વિદેશી મિત્રો સાથે ભારતીય ફિલ્મો પર ચર્ચાનું આયોજન કરવા વિચારે છે. એક આવકારદાયક પ્રવૃત્તિ. હું મારી નોટ્સ – ડાયરીઓ – કટીંગ્સનો ખજાનો ફેંદી વળીશ. તને ઢગલો માહિતી મોકલીશ.
તું જાણે છે ફિલ્મ ક્ષેત્રે ભારતનું સ્થાન નોંધપાત્ર છે. પરંતુ તું એ જાણે છે કે ગુજરાતનો ફાળો કેટલો મોટો છે?
સૌ પ્રથમ, એક લગભગ અજાણી પણ ખૂબ જ રસપ્રદ માહિતી.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાલકે ગુજરાતમાં રહ્યા હતા તે હકીકત આપણામાંથી કેટલા જાણે છે?
ઓગણીસમી સદીના છેલ્લા દશકામાં દાદાસાહેબ ફાલકે વડોદરા આવ્યા. સંસ્કારધામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સ્થાપિત કલા ભવન તે સમયે વિશ્વવિખ્યાત હતું. અહીં દાદાસાહેબે ફોટોગ્રાફી, પેઈંટિંગ અને મેજિક વિદ્યાનો અભ્યાસ કર્યો. થોડો સમય ગોધરા જઈને રહ્યા. ત્યાં ફોટોગ્રાફી શરૂ કરી. અહીં લેંડસ્કેપ અને પોર્ટ્રેટમાં તેમણે કુશળતા મેળવી.. આ અરસામાં તેમણે પ્લેગના ભયાનક રોગચાળામાં પોતાની પ્રિય પત્ની તથા બાળકને ગુમાવ્યાં! તેમણે ગુજરાત છોડ્યું. તે પછી દાદાસાહેબ ચલચિત્રો તરફ વળ્યા અને ઈતિહાસ રચ્યો તે તો સૌ કોઈ જાણે છે.
આપણે ગર્વ લેવો જોઈએ કે દાદાસાહેબ ફાલકેની કારકિર્દીના ઘડતરમાં ગુજરાતનો ફાળો છે.
દાદાસાહેબની પ્રથમ ફિલ્મ (ચલચિત્ર) “રાજા હરિશ્ચંદ્ર”. મુંબઈમાં આ ચલચિત્ર રજૂ થયું 1913માં.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રારંભ સાથે જ અનેક ગુજરાતીઓએ આ ક્ષેત્રે ઝંપલાવ્યું. તેમાં શારદા ફિલ્મ કંપનીના ભોગીલાલ દવે, મોહન પિક્ચર્સના મોહનલાલ દવે, સાગર મુવિટોનના ચિમનલાલ દેસાઈ, કૃષ્ણ મુવિટોનના માણેકલાલ પટેલ, ગુજરાતી લેખક-રાજકારણી ઈન્દુલાલ યાજ્ઞિક, રણજીત ફિલ્મ્સના સરદાર ચંદુલાલ શાહ …. હજી બીજાં કેટલાં નામ ઉમેરી શકાય! આ સૌ ગુજરાતીઓએ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો પાયો નાખ્યો.
આપણે મુંબઈના બોલિવુડની આધુનિક ઝાકમઝાળમાં ફિલ્મ ક્ષેત્રે ગુજરાતીઓની અનોખી સિદ્ધિઓ ભૂલી ગયા છીએ. પરંતુ તું તારા ભારતીય-અમેરિકન પરિચિતોને આ વાત જણાવજે અને સૌને તેનો પ્રચાર કરવા કહેજે. તારા દેશી- વિદેશી મિત્રોને મેઈલ કરે ત્યારે આ વાત જરૂર ઉમેરજે.
સપ્રેમ …. શુભાશિષ.
——————
Entry Filed under: અનામિકાને પત્રો, ખંડ: એશિયા, ગાંધીજી મહાત્મા ગાં, દાદાસાહેબ ફાલકે, ફિલ્મ સિનેમા, વિષય: જીવનકથા, વિષય: પરિચય. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1. દાદાસાહેબ ફાળકે અને પ્રથમ ભારતીય ફિલ્મ « અનુપમા | January 20, 2007 at 10:10 am
[...] દાદાસાહેબ ફાળકે : વિશેષ માહિતી વાંચો : અનામિકા [...]
2. ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ દવે અને દાદાસાહેબ ફાળકે « અનુપમા | March 17, 2007 at 11:51 am
[...] ફાળકે : (1) અનામિકા (2) [...]
3. અનન્યા/071229/ફિલ્મ-સિનેમા « અનન્યા . Ananyaa | December 30, 2007 at 6:57 am
[...] આપને ભારતીય સિનેમા ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાલકે (ફાળકે) ની વાત [...]
4. અનન્યા/071222/ફિલ્મ-સિનેમા « અનન્યા . Ananyaa | January 7, 2008 at 3:54 pm
[...] બે હિંદુસ્તાનીઓ તોરણે દાદા તથા ફાળકે દાદા (ફાલકે દાદા) નો અવિસ્મરણીય ફાળો [...]