અનામિકાને પત્ર: 18
પ્રિય અનામિકા,
તારા પત્રો વાંચ્યાં છે. કેટલાક સંજોગોને કારણે ઉત્તર આપી શકાતા નથી. ફોન પર તને સમજાવવા પ્રયત્ન કર્યો છે તે મુજબ ધીરજ રાખજે.
આજે તારો એક પ્રશ્ન હાથ પર લઉં છું.
તું પૂછે છે: શ્રેષ્ઠ કાવ્ય શી રીતે સર્જાય?
નાનકડો જવાબ આપું?
સૃષ્ટિના કણ કણમાં પ્રગટેલું સૌંદર્ય નેત્ર ભરી દે, બ્રહ્માંડમાં ખૂણે ખૂણે ઊઠેલો ધ્વનિ કર્ણ ભરી દે, હૃદયનાં અંતસ્તલે ઊઠેલાં સ્પંદનો તમારા અસ્તિત્વની આરપાર ઘુમરાતાં રહે, ત્યારે શૂન્યમાંથી, નિ:શબ્દમાંથી જે શબ્દ પ્રગટે તે શબ્દ તે શ્રેષ્ઠ કાવ્ય.
આજે આટલા ટચૂકડા પત્રથી સંતોષ માનીશ?
સસ્નેહ આશીર્વાદ.
* * * * * * * * * * *
3 comments April 30, 2007